*સમય ભલે દેખાતો નથી,* *પણ ઘણુંબધું દેખાડી જાય છે...* *આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*, *"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..* . સપ્રભાત _રાધે રાધે_
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
કોઈ વ્યક્તિનો વ્યવહાર જોવો હોય તો તેને સન્માન દો, આદત જોવી હોય તો તેને સ્વતંત્ર કરો, નિયત જોવી હોય તો કરજ દો અને જો ગુણ જોવા હોય તો થોડો સમય તેની સાથે વિતાવો...