મધ’ જેવું મીઠું પરિણામ જોઈતું હોય ને, તો, ‘મધમાખી’ ની જેમ સંપી ને રહેવું પડે.. એક લાગણી પડી હતી, તૂટેલી,વિખરાયેલી,તરછોડાયેલી કોઈએ આવીને એને સમેટીને પોતાની કરી લીધી ત્યારથી એનું નામ મિત્ર પડી ગયું.
સંપ માટીએ કર્યૉ, ને ઈંટ બની... ઈંટોનુ ટોળુ થયુ, ને ભીંત બની... ભીંતો એક બીજાને મળીને ”ઘર” બન્યું... જો નિર્જીવ વસ્તુઓ પ્રેમ અને લાગણી સમજતી હોય તો આપણે તો માનવી છીએ...
માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.