આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો, મોટો, ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ
કોઈ વ્યક્તિનો વ્યવહાર જોવો હોય તો તેને સન્માન દો, આદત જોવી હોય તો તેને સ્વતંત્ર કરો, નિયત જોવી હોય તો કરજ દો અને જો ગુણ જોવા હોય તો થોડો સમય તેની સાથે વિતાવો...
દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હ્રદય ના કાં તો આંખો નાં.. સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..