માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે , બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે , પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..