કોઈ વ્યક્તિનો વ્યવહાર જોવો હોય તો તેને સન્માન દો, આદત જોવી હોય તો તેને સ્વતંત્ર કરો, નિયત જોવી હોય તો કરજ દો અને જો ગુણ જોવા હોય તો થોડો સમય તેની સાથે વિતાવો...
કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે, પ્રયત્નના અંતે તો ધોધ નીચેના પત્થરમાં પણ ખાડા પડે , બસ નક્કી કર તું કોઈ ના સહારે ના રહે , પછી તું જ આગળ વધે ને ઘડિયાળના કાંટા પણ મોડા પડે ..
આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો, મોટો, ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ