માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
એક બીજા ને ગમતા રહીએ કઈ ખટકે તો ખમતાં રહીએ સંજોગો કેવા પણ સર્જાય થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી-સંકુચિત સાંકડા ન રહેતા નદી ના નીર થઈ ને વહેતા રહીએ વાત અંદર અંદર ન વાગોળતા એક મેક ને કહેતા રહીએ પડી ગાંઠના સરવાળા- બાદબાકી ન કરતા મીઠાં સંબંધોનો ગુણાકાર કરતા રહીએ.
આંસું તમારું હોય....., અને પીગળતું કોઈક બીજું હોય...... " ,....... તો સમજવું કે સંબંધ ૨૪ કેરેટ સોના કરતાય કિમતી છે..... " " પછી એ પ્રેમ નો હોય મિત્રતા નો હોય કે લાગણી નો હોય...... " ₲๑๑d ℳorning
તમારા પોતાના પ્રારબ્ધથી તમો સુખ અને દુઃખ ભોગવો છો, બીજો કોઈ માણસ તમને સુખી અગર દુઃખી કરી શકતો નથી, તે તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે...... પ્રણામ અને શુભ દિવસ