માટી જો ચંમ્પલને ચોટીને આવે તો તે આપણા ઘરના ઉંમરા સુધી જ આવી શકે છે પણ જો એ માટી માટલું બનીને આવે તો ઘરના પણિયારે પુજાય છે, આમ વ્યક્તિ નહીં પણ વ્યક્તિનું ઘડતર નું મહત્વ છે.
કોઈ વ્યક્તિનો વ્યવહાર જોવો હોય તો તેને સન્માન દો, આદત જોવી હોય તો તેને સ્વતંત્ર કરો, નિયત જોવી હોય તો કરજ દો અને જો ગુણ જોવા હોય તો થોડો સમય તેની સાથે વિતાવો...
દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે, કાં તો હ્રદય ના કાં તો આંખો નાં.. સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા, અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..